સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કીમ નદીમાં આવેલા પૂરના કારણે કાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચી છે. પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને રણકપોર ગામ સહિત અનેક વિસ્તારોમાં શાકભાજી, કેળા અને શેરડીના પાક પાણીમાં નાશ પામ્યા છે.પૂરના કારણે ખેડૂતો દ્વારા ખેતરોમાં તૈયાર કરાયેલા પરવરના આખા માંડવા પણ પાણીમાં તણાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. મહેનતથી તૈયાર કરેલો પાક આંખો સામે પાણીમાં વહી જતાં ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.માંગરોળ તાલુકાના અનેક કાંઠાના ગામોમાં કીમ નદીના પૂરે ખેતીને સૌથી વધુ અસર પહોંચાડી છે. પાક બરબાદ થતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક નુકશાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે